ગયા અઠવાડિયે, મીરા ભાઈંદર વિસ્તારમાં એક ગુજરાતી ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ કેટલાક MNS કાર્યકરોએ થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી, વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. મંગળવારે, વેપારીઓના વિરોધના જવાબમાં, MNS કાર્યકરોએ રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કર્યા.
MNS કાર્યકરોએ રેલી કાઢી
મહારાષ્ટ્રમાં ફૂડ સ્ટોલ માલિકને થપ્પડ મારવા સામે વેપારીઓના વિરોધના જવાબમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મીરા ભાઈંદર વિસ્તારમાં એક રેલી કાઢી હતી. આ દરમિયાન MNS કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકર્તાઓએ સરકાર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે MNS કાર્યકરો અને નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન, CM ફડણવીસે વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન આપવાના આરોપ પર સ્પષ્ટતા આપી હતી.
#WATCH | Maharashtra | Police detain MNS workers protesting to counter traders’ protest over language row, in Mira Bhayandar area pic.twitter.com/r9F1Rch10D
— ANI (@ANI) July 8, 2025
MNSના સાત સભ્યોની અટકાયત
હકીકતમાં, ગયા અઠવાડિયે, મીરા ભાઈંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ કેટલાક MNS કાર્યકરોએ એક પછી એક થપ્પડો મારી હતી. બાદમાં MNSના સાત સભ્યોની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે તેમને નોટિસ આપ્યા બાદ છોડી દેવામાં આવ્યા હતા.
ભાયંદર વિસ્તારના વેપારીઓએ ફૂડ સ્ટોલ માલિક પર હુમલો કરનારાઓ સામે કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મંગળવારે વેપારીઓના વિરોધના જવાબમાં મનસેએ રેલી કાઢી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પોલીસે મનસેના કાર્યકરોની અટકાયત કરી હતી. અગાઉ પોલીસે મનસે નેતા અવિનાશ જાધવની અટકાયત કરી હતી.
દત્તા શિંદેએ જણાવ્યું…
એડિશનલ સીપી દત્તા શિંદેએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનને મંજૂરી ન આપવાનું એક કારણ અહીં અગાઉ બનેલી એક ઘટના હતી. પોલીસ સંપૂર્ણપણે સતર્ક છે અને અહીં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. અમે લોકોને અહીં ભેગા ન થવાનું કહી રહ્યા છીએ. અવિનાશ જાધવ હાલ કસ્ટડીમાં છે.
#WATCH | Maharashtra Minister Pratap Baburao Sarnaik arrives at Mira-Bhayander, where MNS workers held a protest today over the language row pic.twitter.com/QDgR9JoTn8
— ANI (@ANI) July 8, 2025