સુપ્રીમ કોર્ટની ટકોરઃ લગ્ન પછી અલગ જ રહેવું હોય તો, લગ્ન જ ન કરશો! તમારા ઝઘડામાં બાળકો પિસાય છે

અત્યારના દંપતિઓમાં પહેલા લગ્ન, પછી ઝઘડા અને પછી વાત છુટાછેડા સુધી પહોંચી જાય છે ત્યારે આ તમામની વચ્ચે માસૂમ બાળકો પિસાય છે. આ પ્રકારના વધી રહેલા પ્રોબ્લમ્સને લઈને સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, દંપતિઓમાં પતિ અથવા પત્નીનું અલગ રહેવું મુશ્કેલ છે. બંન્નેમાંથી કોઈપણ એવું ન કહી શકે કે, તેઓ પોતાના જીવનસાથીથી અલગ રહેવા ઈચ્છે છે.

જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે નસીહતભર્યા અંદાજમાં કહ્યું કે લગ્ન પછી પણ જો કોઈ અલગ જ રહેવા માંગે છે તો તેને પહેલેથી જ લગ્ન ન કરવા જોઈએ. કારણ કે લગ્નનો મતલબ છે બે આત્માઓ અને બે લોકોનું એકસાથે આવવું. તમે કેવી રીતે અલગ રહી શકો? એમ તો પતિ-પત્ની વચ્ચે થોડી ઘણી નોકઝોક અને નાના મોટા ઝઘડા ઝંઝટ થતા જ હોય છે. પરંતુ તેનો અર્થ આ ક્યારેય નથી કે અલગ જ થઈ જવાનું.

સુપ્રીમ કોર્ટ એક એવા દંપતિના કેસની સુનાવણી કરી રહી હતી કે જેમાં આ દંપતિને બે નાના બાળકો છે અને તેઓ અલગ રહી રહ્યા છે. લગ્ન અને નિર્ભરતા પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લગ્ન જીવન દરમિયાન પતિ અથવા પત્ની માટે પૂર્ણ સ્વતંત્રતાનો દાવો કરવો અશક્ય છે. સુપ્રીમ કોર્ટે આવું કરતા લોકોને ચેતવ્યા અને કહ્યું કે, જે લોકો એક-બીજા પર નિર્ભર રહેવા માટે તૈયાર નથી તેમણે લગ્નના બંધનમાં બંધાવું ન જોઈએ.

પીઠે આ વાત લગ્ન બાદ પણ અલગ રહી રહેલા દંપતિ અને તેમના બે નાબાલિક બાળકો સાથે જોડાયેલા વિવાદની સુનાવણી દરમિયાન કહી. પતિ સિંગાપુરમાં કામ કરે છે પરંતુ અત્યારે ભારતમાં છે. તેની પત્ની હૈદરાબાદમાં રહે છે. પીઠે બાળકો માટે ચિંતા વ્યક્ત કરતાં ભારપૂર્વક કહ્યું કે જો તેઓ સાથે આવી જાય તો અમને ખુશી થશે. બાળકો હજી બહુ નાના છે. તેમને માતા પિતાની અત્યારે સૌથી વધારે જરૂર છે. એ માસૂમોનો શું દોષ છે કે તેમને માતા પિતાના અહંકારની وجہથી તૂટેલું ઘર અને વત્સલ્યની પીડા સહન કરવી પડે છે.

Share This Article
Translate »