બનાસકાંઠામાં વરસાદી આફતઃ 300 પશુઓના મોત, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ!

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 13 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીઓ હજી પણ પાણીમાં ગરકાવ છે. જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાલુકા પંચાયત પાસે આવેલી ગણેશ સોસાયટીની હાલત સૌથી ગંભીર છે. આખી સોસાયટી પાણીમાં ડૂબી ગઈ હોવાથી અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

લોકોનો ઘરવખરીનો સામાન અને બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે. કેટલાંક વાહનોએ તો જાણે જળસમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સોસાયટીઓમાં જવા-આવવાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થાનિક લોકો ઘરમાં કેદ થઈ ગયા છે અને તેમનો સંપર્ક બહારની દુનિયાથી કપાઈ ગયો છે. આ પરિસ્થિતિને કારણે લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં 24 કલાકમાં પડેલા 20 ઈંચ જેટલા અતિભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. આજે વરસાદના વિરામ બાદ પણ ચોમેર પાણી જ પાણી જોવા મળે છે. આ સ્થિતિ માત્ર સુઈગામની જ નથી. બનાસકાંઠાના વાવ, ભાભર, થરાદ વગેરે વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયેલા છે. ખેતરોમાં લહેરાતો પાક વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. જ્યારે અનેક દૂઘાળા પશુઓના મોત થયા છે. એકલા સુઈ ગામમાં જ 300થી વધુ પશુના મોતના સમાચાર સામે આવ્યા છે. સ્થિતિ પૂર્વવત થતા સર્વે હાથ ધરાશે ત્યારે ખાનાખરાબીની સ્થિતિ સાફ થશે.

બનાસકાંઠાના સુઈગામમાં આકાશી આફતથી 300 થી વધુ પશુઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. વાવ, થરાદ, સુઈગામ અને ભાભર પંથકમાં એક લાખ 98 હજાર હેક્ટરમાં કરેલ વાવેતર મોટાભાગે પાણીમાં ડૂબી જવા પામ્યું છે. વરસાદી પાણીથી અનેક પશુઓ તણાયા છે. એકલા સુઈગામમાં 300 પશુઓના મોત થયા છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને મહેનત મજૂરીથી વાવેતર કરેલો પાક પાણીમાં નષ્ટ થયો છે. સરહદ વિસ્તારમાં પાકને મોટા પાયે નુકસાન અને પશુઓની મોટાપાયે ખુવારી થઈ છે.

કુદરતનો કહેર પરંતુ સરકાર પાસે રાહત અને મદદની અપેક્ષા છે. હજુ પાણી ઓસર્યા બાદ સુઈ ગામની સ્થિતિ સ્પષ્ટ અને ભયાનક થશે. અનેક પશુઓના મોત પામવાથી અને અનેક મકાનો અનેક ખેતરો અનેક દુકાનો અને ધંધા રોજગાર પર પડેલી કુદરતી આફતે સુઈગામને બરબાદ કર્યું.

સુઈગામ, ભાભર, વાવ અને થરાદમાં પશુઓના મોત થયા હોવાનું પશુ પાલન વિભાગે સ્વીકાર્યું છે. 300 લોકોની ટીમ પશુઓના સર્વે અને સારવાર માટે લાગી છે. પાણી ઓસરે અને સ્થિતિ સામાન્ય થશે ત્યારે પશુ મોતની વધુ ખબર પડશે.  ખેતીવાડી વિભાગે કહ્યું સુઈ ગામમાં વાવમાં થરાદમાં પાકને મોટાભાગે નુકસાન. સરકારના આદેશ બાદ અને પાણીઓસર્યા બાદ પાક નુકસાની નો સર્વે થશે.

Share This Article
Translate »