પડોશી દેશ પાકિસ્તાનના અશાંત વિસ્તારોમાં હવે એક વધુ મોરચો ખુલી ગયો છે. બલોચ રાષ્ટ્રવાદી નેતા મીર યાર બલોચે એલાન કર્યું છે કે “હવે અમને પાકિસ્તાનમાં નહીં, પાકિસ્તાનથી પણ આઝાદી જોઈએ.” તેમણે કહ્યું કે ઇસ્લામાબાદે બલોચિસ્તાન પછી PoK એટલે કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ એક “કેદખાનું” બનાવી દીધું છે, જ્યાં જનતા પોતાના જ દેશમાં પારકી બનાવી દેવામાં આવી છે.
આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે PoKમાં હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે સ્થિતિ સંપૂર્ણપણે બગડી ચૂકી છે. 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આંદોલન અત્યાર સુધી 10 લોકોના મોત અને સૈંકડો ઘાયલ થવાના સમાચાર સાથે પાકિસ્તાનની સત્તાને હચમચાવી ચૂક્યું છે. હવે મીર યાર બલોચના આ નિવેદને ઇસ્લામાબાદની રાજકીય અને સૈન્ય ગલીઓમાં ખળભળાટ મચાવી દીધો છે.
PoKમાં ખોળાતો ગુસ્સો, સમજૂતી પહેલાં ફાટી પડ્યો જનવિસ્ફોટ
જમ્મુ-કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટી (JKJAAC)ની આગેવાનીમાં ચાલતું PoK આંદોલન ગયા અઠવાડિયે હિંસક બની ગયું. પ્રદર્શનકારીઓએ 38 માંગણીઓનું લિસ્ટ સોંપ્યું હતું. જેમાં ઊંચા વીજદરો, ટેક્સોમાં કાપછાંટ અને સ્થાનિક સ્વશાસનની માંગણીઓ સામેલ હતી. પરંતુ વાતચીત બગડ્યા બાદ લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા. તેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ.
ત્રણ પોલીસકર્મીઓ સહિત 10 લોકોના મોત બાદ હવે સરકારે આંદોલનકારીઓ સાથે સમજૂતી પર સહી કરી છે. જોકે મીર યાર બલોચે તેને “નકલી શાંતિ” કહી અને કહ્યું કે “PoKમાં જે થઈ રહ્યું છે, તે પાકિસ્તાનનો અસલી ચહેરો બતાવે છે. એક એવું શાસન જે પોતાના જ લોકોને ગોળીઓથી ચૂપ કરાવે છે.”
“PAKની જનતાને આઝાદી જોઈએ, ઇસ્લામાબાદની હુકૂમત નહીં”
બલોચ નેતા મીર યાર બલોચે પોતાના એક લેખમાં કહ્યું –
PoKના લોકો આઝાદી ઈચ્છે છે, પાકિસ્તાનની ગુલામી નહીં. અમે ફક્ત બલોચિસ્તાન નહીં, પણ સમગ્ર PoKને પાકિસ્તાની સેનાાની ગુલામીમાંથી મુક્ત જોવું ઈચ્છીએ છીએ.
તેમણે આક્ષેપ કર્યો કે ISI અને પાક સેનાાએ PoKમાં હજારો હથિયારબંદ જૂથો ઉભા કર્યા છે જે નાગરિકો પર અત્યાચાર કરી રહ્યા છે. બલોચે કહ્યું, “આ વિસ્તાર જન્નત નહીં, જેલ બની ગયો છે.”
ISI પર આક્ષેપ – 50 હજાર ડેથ સ્ક્વોડ ઉભા કર્યા છે
મીર યાર બલોચે દાવો કર્યો કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ છેલ્લા બે દાયકામાં આશરે 50,000 હથિયારબંદ મિલિશિયા અને ડેથ સ્ક્વોડ ઉભા કર્યા છે જેથી બલોચિસ્તાન અને PoKમાં આઝાદીની અવાજને ચૂર કરી શકાય. તેમના જણાવ્યા મુજબ આ જૂથોને સેનામાંથી ઓળખપત્ર, હથિયાર, વાહનો અને સેટેલાઇટ ફોન આપવામાં આવે છે, અને દર વર્ષે અબજો રૂપિયાનું બજેટ પણ. બલોચે કહ્યું કે, “આ લોકોને ‘જેહાદ’ના નામે ખોટો પ્રચાર ચલાવવા અને ડર ફેલાવવા માટે વપરાય છે.”
મીર યારની આંતરરાષ્ટ્રીય અપીલ
મીર યાર બલોચે સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન દેશોને અપીલ કરી કે તેઓ PoK અને બલોચિસ્તાનની જનતા માટે માનવાધિકાર આયોગની તપાસ મોકલે અને પાકિસ્તાનની કાર્યવાહી પર રોક લગાવે. તેમણે કહ્યું કે, અમે હવે ફક્ત અમારા માટે નથી લડી રહ્યા, પરંતુ પાકિસ્તાનની જે પણ જનતા અત્યાચાર ભોગવે છે, તેમના માટે લડી રહ્યા છીએ!