બ્રિજ દુર્ઘટના મામલે જામનગર કોંગ્રેસ દ્વારા પાટાપિંડી સાથે ઇજાગ્રસ્ત થયાનો નાટકીય વિરોધ

તાજેતરમાં વડોદરામાં મોટી પૂલ દુર્ઘટના થઈ હતીં. ગંભીરા પુલના એકાએક 2 કટકા થઈ જતા નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે જે મામલે જામનગરમાં કોંગ્રેસે અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. ભાજપના રાજમા ટેક્સ અને જીવ બન્ને દેવા પડે અને ભ્રષ્ટચારના લીધે લોકોએ પોતાના જીવ ગુમાવા પડે છે. તેવા આરોપ સાથે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. લાલ બગલા સર્કલ ખાતે કોંગ્રેસે આંકરા સૂત્રોચાર કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના સભ્યો પાટાપિંડી સાથે ઇજાગ્રસ્ત થયા હોવાનો નાટકીય વિરોધ કર્યો હતો. આ દરમિયાન કોંગી અગ્રણીઓની અટકાયત પણ થઈ હતી.

નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મહીસાગર નદી બ્રિજ દુર્ઘટનાના સંદર્ભમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. વડોદરા નજીક મહીસાગર નદી પરના બ્રિઝ તૂટી પડવાના મામલે ગુજરાતમાં ભાજપની સરકારમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેના કારણે ગુજરાતની નિર્દોષ પ્રજાએ ટેક્સ તેમજ જીવ બન્ને દેવો પડે છે, તેમ દર્શાવીને પોસ્ટર સાથે કોંગી કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં લાલ બંગલા સર્કલમાં વિરોધ કરાયો હતો.

કોંગી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની રાહબરીમાં કોંગી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. જેમાં કેટલાક કાર્યકર્તાઓ પોતાના શરીર પર પાટા પીંડી કરીને માર્ગ પર ઉતર્યા હતા, અને નવતર પ્રકારે વિરોધ દર્શાવી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ વેળાએ સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દોડી આવી, શહેર કોંગી પ્રમુખ સહિત 15 કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  Plane Crash Report: પ્લેનના બંને એન્જિન બંધ, FAA ની ચેતવણી અવગણમાં આવી… તપાસ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *