ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને કારણે અલકનંદામાં પૂર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત પડેલા ભારે વરસાદને કારણે, અલકનંદામાં પૂર આવ્યું. જેને પગલે નદી કિનારા પરના ઘર ડૂબી ગયા છે. બદ્રીનાથ હાઇવે પર નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદથી ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. આ ઉપરાંત રાજસ્થાનના જાલોરમાં રાજ્યમાં સૌથી વધુ 136 મીમી વરસાદ નોંધાયો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 35થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર છે. સુબર્ણરેખા નદીમાં આવેલા પૂરને લઈ 30થી વધુ ગામો પાણીમાં ગરકાવ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *