બ્રિજ દુર્ઘટના મામલે જામનગર કોંગ્રેસ દ્વારા પાટાપિંડી સાથે ઇજાગ્રસ્ત થયાનો નાટકીય વિરોધ

તાજેતરમાં વડોદરામાં મોટી પૂલ દુર્ઘટના થઈ હતીં. ગંભીરા પુલના એકાએક 2 કટકા થઈ જતા નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે જે મામલે જામનગરમાં કોંગ્રેસે અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. ભાજપના રાજમા ટેક્સ અને જીવ બન્ને દેવા પડે અને ભ્રષ્ટચારના લીધે લોકોએ પોતાના જીવ ગુમાવા પડે છે. તેવા આરોપ સાથે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. લાલ બગલા સર્કલ ખાતે કોંગ્રેસે આંકરા સૂત્રોચાર કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના સભ્યો પાટાપિંડી સાથે ઇજાગ્રસ્ત થયા હોવાનો નાટકીય વિરોધ કર્યો હતો. આ દરમિયાન કોંગી અગ્રણીઓની અટકાયત પણ થઈ હતી.

નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મહીસાગર નદી બ્રિજ દુર્ઘટનાના સંદર્ભમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. વડોદરા નજીક મહીસાગર નદી પરના બ્રિઝ તૂટી પડવાના મામલે ગુજરાતમાં ભાજપની સરકારમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેના કારણે ગુજરાતની નિર્દોષ પ્રજાએ ટેક્સ તેમજ જીવ બન્ને દેવો પડે છે, તેમ દર્શાવીને પોસ્ટર સાથે કોંગી કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં લાલ બંગલા સર્કલમાં વિરોધ કરાયો હતો.

કોંગી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની રાહબરીમાં કોંગી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. જેમાં કેટલાક કાર્યકર્તાઓ પોતાના શરીર પર પાટા પીંડી કરીને માર્ગ પર ઉતર્યા હતા, અને નવતર પ્રકારે વિરોધ દર્શાવી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ વેળાએ સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દોડી આવી, શહેર કોંગી પ્રમુખ સહિત 15 કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  Plane Crash Report: પ્લેનના બંને એન્જિન બંધ, FAA ની ચેતવણી અવગણમાં આવી… તપાસ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા

Jamnagar માં મોટા ગજાના વેપારીનો આપઘાત, જાણો શું છે મામલો?

Jamnagar News: જામનગરમાં જાણીતા મીઠાઈના વેપારીએ શિવ મંદિરની અંદર આપઘાત કરી લેતા વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. મીઠાઈના વેપારીએ આજે સવારે સિધ્ધનાથ મહાદેવ મંદિર નજીક આવેલ બાલનાથ મંદિરમા રિવોલ્વરમાંથી લમણામાં ગોળી મારી દઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. વેપારીએ જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 6 માસ પહેલા જ વેપારીના પત્નીનું પણ અવસાન થયુ હતું. ત્યારથી આ વેપારી આઘાતમાં અને ગુમસૂમ રહેતા હતા ત્યારબાદ આજે અંતિમ પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી છે.

80 વર્ષીય વેપારીએ આપઘાત કર્યો

આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર, જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં મોટું નામ ધરાવતા એચ. જે. વ્યાસ મીઠાઈવાલા નામની પેઢીના જયંતભાઈ હીરાલાલ વ્યાસ નામના આશરે 80 વર્ષીય વેપારીએ આજે આપઘાત કરી લીધો છે. નેગેશ્રવર વિસ્તારમાં આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરમાં લાયસન્સ વાળા હથિયાર વડે પોતાની જાતે ગોળી મારી આપધાત કર્યો હતો. અચાનક ધડાકાનો અવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વેપારીને તાબડતોબ જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ ખૂબ ગંભીર હોવાથી તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. જોકે ટુંકી સારવાર બાદ જ તેઓએ દમ તોડી દીધો.

પત્નીનું છ માસ પહેલા મોત નીપજ્યું હતું

પ્રાથમિક વિગત મુજબ વેપારી જયંતભાઈના પત્ની ઉમાબેનનું આજથી છ માસ પહેલા મોત નીપજ્યું હતું. વાહન અકસ્માતમાં ઈજા થતા પત્નીએ દમ દોડી દીધો હતો. જેના આઘાતમાં જયંતભાઈ ગુમસુમ રહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓએ એક સપ્તાહ માટેની સિધ્ધનાથ મહાદેવ મંદિરની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરની માનતા પણ રાખી હતી, આ માનતા ભાગરુપે પ્રતિદિન જયંતભાઈ વ્યાસ રીક્ષામાં સવાર થઈ દાદાના દર્શનાર્થે જતા હતા. આજે માનતા પુરી કરવાનો અંતિમ દિવસ હતો અને રીક્ષાચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું, અને પોતે રોકાઈ ગયા હતા. બાદમાં તેમણે મંદિરમાં પોતાની જાતે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. જેને લઇને સમગ્ર શહેરમાં શોક છવાયો છે.

આ મામલે પોલીસને જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે. મૃતક જયંતભાઈના પરિજનોના નિવેદન નોંધી અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પુત્રી અને જમાઈ જામનગર આવવા રવાના

જયંતભાઈ વ્યાસને સંતાનમાં એક પુત્રી છે, જે મુંબઈમાં રહે છે. પિતાના મોતની જાણ કરાયા બાદ પુત્રી અને જમાઈ જામનગર આવવા નીકળ્યા છે. જયંતભાઈના મૃતદેહનું જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ થયા બાદ ઘરે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને ત્યારબાદ અંતિમવિધિની પ્રક્રિયાઓ હાથ ધરાશે.

આ પણ વાંચો: Jamnagar માં ચીખલીગર ગેંગના બે તસ્કરો ઝડપાયા

Jamnagar માં ચીખલીગર ગેંગના બે તસ્કરો ઝડપાયા

Chikhligar Gang: જામનગર શહેરના ખોડીયાર કોલોની, રોયલ એન્કલેવમાં રહેતા અને જી.જી. હોસ્પિટલ રોડ પર આવેલી આરામ હોટલના સંચાલિકા હિનાબેન દિપકભાઈ ભટ્ટ (ઉ.વ. 63)ના માતા-પિતાના પટેલ કોલોની શેરી નં. 3માં આવેલા અમૃતકુંજ બંગલામાં થયેલી ચોરીનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં ચીખલીગર ગેંગના બે શખ્સોની ધરપકડ કરીને રૂ. 2.25 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

તસ્કરોએ લાકડાના દરવાજાનું તાળું તોડ્યુ

ગત 17 જૂનના રોજ અમૃતકુંજ બંગલો, જે લાંબા સમયથી બંધ હાલતમાં હતો, તેમાં તસ્કરોએ લાકડાના દરવાજાનું તાળું તોડીને ઘૂસણખોરી કરી હતી. બંગલામાં રાખેલી તિજોરીમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રૂ. 30,000 રોકડા મળીને કુલ રૂ. 2,55,000ની માલમત્તાની ચોરી કરી હતી. આ ઘટના અંગે હિનાબેન ભટ્ટ દ્વારા જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બાતમીના આધારે જાણવા મળ્યું કે..

ફરિયાદના આધારે એલસીબીએ તાત્કાલિક તપાસ શરૂ કરી. ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને બાતમીના આધારે જાણવા મળ્યું કે ચોરીમાં સંડોવાયેલા શખ્સો બેડેશ્વર ઓવરબ્રિજ નીચે રેલવે ફાટક પાસે મુદામાલ સાથે હાજર છે. એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમે વોચ ગોઠવીને ચીખલીગર ગેંગના બે શખ્સો, મહેન્દ્રસિંહ ઉધમસિંહ સરદારજી અને બલરામસિંગ ચંદાસિંગ સરદારજીની ધરપકડ કરી.

એક આરોપી ફરાર

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના, રૂ. 20,000ની રોકડ, એક બાઇક અને બે મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 2.25 લાખનો મુદામાલ કબજે કર્યો. આરોપીઓની પૂછપરછ દરમિયાન અમદાવાદના બાવળા વિસ્તારના હીરાસિંગ લક્ષ્મણસિંગ પટવાનું નામ સામે આવ્યું, જે હાલ ફરાર છે. પોલીસે તેને ફરાર જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

ચીખલીગર ગેંગ ચોરી માટે જાણીતી

ચીખલીગર ગેંગ બંધ મકાનો અને બંગલાઓને નિશાન બનાવીને ચોરી કરવા માટે જાણીતી છે. આ ગેંગના સભ્યો લાકડાના દરવાજા અથવા તાળાં તોડીને ઘરમાં ઘૂસી, તિજોરીઓમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરે છે. આ ઘટનામાં પણ તેમની કામગીરીની પદ્ધતિ સ્પષ્ટ જોવા મળી. એલસીબીની આ તપાસથી શહેરમાં ચોરીની ઘટનાઓ પર અંકુશ મૂકવામાં મદદ મળશે તેવી આશા છે.

આ પણ વાંચો: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના: 12 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

જામનગર અને ધ્રોલમાં બેંક ATMના નાણાંની ઉચાપત, 31.36 લાખની છેતરપિંડી

જામનગર અને ધ્રોલમાં બેંક એટીએમના નાણાંની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 31.36 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના જામનગર શહેરના લીમડા લેન, રણજીત સાગર રોડ, સાધના કોલોની સામે આવેલી એસબીઆઈની નવાગામ ઘેડ શાખા અને ધ્રોલની બેંક શાખામાં બની છે. આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ જામનગરના સીટી બી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

બેંકના નાણાંની ઉચાપત

આ ઘટનામાં આરોપીઓ એટીએમમાં નાણાં જમા કરાવવા અને ઉપાડવાની જવાબદારી સંભાળતા હતા. તેમની પાસે એટીએમના પાસવર્ડ હતા, જેનો દુરુપયોગ કરીને તેમણે બેંકના નાણાંની ઉચાપત કરી. એટીએમમાં નાણાં જમા કરાવવાને બદલે, આરોપીઓએ કુલ 31 લાખ 36 હજાર રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા. આ રીતે, બેંકના નાણાંનો ગેરઉપયોગ કરીને તેમણે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી.

બેંકોને વધુ કડક પગલાં લેવાની જરૂર

આ ઘટના બહાર આવતાં બેંક અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી, અને સીટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. એટીએમના નાણાંની સુરક્ષા અને વિશ્વાસની જાળવણી માટે બેંકોને વધુ કડક પગલાં લેવાની જરૂર છે. પોલીસ તપાસમાં આગળની કાર્યવાહીની વિગતો ટૂંક સમયમાં સામે આવે તેવી અપેક્ષા છે.

Ahmedabad ના શહેરકોટડામાં અપહરણ અને હત્યાની ચોંકાવનારી ઘટના