એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે US રિપોર્ટમાં મોટો દાવો – ‘કેપ્ટને એન્જિનનું ફ્યુઅલ બંધ કરી દીધું હતું’

નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ અહેવાલ ફક્ત પ્રારંભિક તારણો પર આધારિત છે અને અંતિમ અહેવાલ જાહેર ન થાય ત્યાં સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢવો જોઈએ નહીં.

ગુજરાતના અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના બે પાઇલટ વચ્ચેની છેલ્લી વાતચીતની કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે કેપ્ટને વિમાનના એન્જિનનું ઇંધણ બંધ કરી દીધું હતું. આ માહિતી અમેરિકન મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલે આપી છે.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, બોઇંગ 787 ડ્રીમલાઇનર ઉડાવતા ફર્સ્ટ ઓફિસરે કેપ્ટનને પૂછ્યું કે રનવે પરથી ઉડાન ભર્યા પછી તરત જ તેણે સ્વીચને કટઓફ સ્થિતિમાં કેમ મૂકી દીધી. અહેવાલ મુજબ, પહેલા અધિકારીએ ગભરાટ વ્યક્ત કર્યો, જ્યારે કેપ્ટન શાંત રહ્યો.

ટેકઓફ-ક્રેશ વચ્ચેનો સમય 32 સેકન્ડનો

વિમાન દુર્ઘટનામાં કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદરના પણ મોત થયા હતા, જેમને અનુક્રમે કુલ 15,638 કલાક અને 3,403 કલાક ઉડાનનો અનુભવ હતો. વોલ સ્ટ્રીટ જર્નલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AIIB) ના પ્રારંભિક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે ટેકઓફ પછી થોડી જ ક્ષણોમાં બંને એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચો એક પછી એક કટઓફ પોઝિશન પર પહોંચી ગયા હતા. રિપોર્ટ અનુસાર, ટેકઓફ અને ક્રેશ વચ્ચેનો સમય ફક્ત 32 સેકન્ડનો હતો.

વોલ સ્ટ્રીટ જર્નલે આ બાબતથી પરિચિત લોકો, અમેરિકન પાઇલટ્સ અને તપાસ પર નજર રાખી રહેલા સુરક્ષા નિષ્ણાતોને ટાંકીને જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલમાં વિગતો સૂચવે છે કે કેપ્ટને પોતે જ સ્વીચો બંધ કરી દીધી હતી. તેમણે વધુમાં કહ્યું, “રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું નથી કે સ્વિચ ઓફ કરવું ભુલથી થયુ હતું કે ઇરાદાપૂર્વક.”

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ અહેવાલ ફક્ત પ્રારંભિક તારણો પર આધારિત છે અને અંતિમ અહેવાલ પ્રકાશિત ન થાય ત્યાં સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢવો જોઈએ નહીં.

FIP ના પ્રમુખે અહેવાલની ટીકા કરી

ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) ના પ્રમુખ સીએસ રંધાવાએ ગુરુવારે વોલ સ્ટ્રીટ જર્નલના પાયાવિહોણા અહેવાલની આકરી ટીકા કરી હતી અને કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. રંધાવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે AIIB ના પ્રારંભિક અહેવાલમાં પાઇલોટ્સ દ્વારા એન્જિનમાં બળતણના પ્રવાહને નિયંત્રિત કરતી સ્વીચ બંધ કરવાનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે કહ્યું કે અંતિમ અહેવાલ બહાર આવે તે પહેલાં લોકોએ કોઈ નિષ્કર્ષ કાઢવો જોઈએ નહીં.

આ પણ વાંચો: બ્રિજ દુર્ઘટના મામલે જામનગર કોંગ્રેસ દ્વારા પાટાપિંડી સાથે ઇજાગ્રસ્ત થયાનો નાટકીય વિરોધ

સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો 200 અંગદાનનો માઇલસ્ટોન

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 200મા અંગદાતા તરફથી અંગદાન મળ્યું છે. અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને 200 અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો છે. આજદિન સુધીમાં થયેલા કુલ 200 અંગદાન દ્વારા કુલ 657 અંગોનું દાન મળ્યું છે, જે થકી 638 લોકોને નવજીવન પ્રદાન થયું છે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદની યશસ્વી સિદ્ધિ છે.

200મા અંગદાનની વાત કરીએ તો અમરેલીના રહેવાસી એવા 35 વર્ષીય મહેશભાઇ સોલંકીને 02 જુલાઇના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ બગસરાથી હુમાપુર ગામે જતાં બોલેરો ગાડીએ ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. મહેશભાઇને પ્રથમ બગોદરા સિવિલ, ત્યારબાદ અમરેલી સિવિલ અને ભાવનગર સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી તારીખ 7 જુલાઈના રોજ વધુ સારવાર અર્થે તેઓને રાત્રે 9 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

મહેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા

સિવિલ હોસ્પિટલમાં 48 કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ 9 જુલાઈના રોજ ડોક્ટરોએ મહેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ તેમજ સામાજિક કાર્યકર શ્રી ભાસ્કર ચાવડા દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતાં સિવિલ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.

ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું…

આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે 200 અંગદાન એ માત્ર આંકડો નથી, પરંતુ દરેક અંગદાન પાછળ એક પરિવારના આંસુમાંથી નીકળેલ બીજા પરિવાર માટેના નવજીવનની આશા છે. 200 અંગદાનની ઉપલબ્ધિ સિવિલની અંગદાન ટીમના ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અંગદાનની આંકડાકીય વિગતો

ડૉ. જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઇ છે. જેમાં આજદિન સુધીમાં કુલ 200 અંગદાન થયાં છે. જેના દ્વારા કુલ 657 અંગોનું દાન મળ્યું છે. જે થકી 638 લોકોને નવજીવન પ્રદાન થયું છે. મહેશભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 175 લીવર, 364 કીડની, 14 સ્વાદુપિંડ, 64 હૃદય, 6 હાથ, 32 ફેફસા, 2 નાના આંતરડા તથા 21 ચામડીનું દાન મળ્યુ છે. અંગદાન કરેલ 200 અંગદાતાઓમાંથી 156 પુરુષ અંગદાતાઓ અને 44 સ્ત્રી અંગદાતાઓનો સમાવેશ થાય છે.

176 અંગદાતાઓ ગુજરાતના

સિવિલ હોસ્પિટલમાં મળેલ અંગદાનમાં 200 અંગદાતાઓ પૈકી 176 અંગદાતાઓ ગુજરાતના, 5 ઉત્તરપ્રદેશના, 6 મધ્યપ્રદેશના, 3 બિહારના, 9 રાજસ્થાનના તથા 1 નેપાળના અંગદાતાનો સમાવેશ થાય છે. ગુજરાતના 176 અંગદાતાઓ પૈકી સૌથી વધુ 68 અંગદાતાઓ અમદાવાદના છે.

200મા અંગદાન વિશે ડૉ. જોષીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના દિવસે બ્રેઇનડેડ મહેશભાઇના અંગદાનથી મળેલ એક લીવર, બે કીડની તેમજ એક સ્વાદુપિંડનું સિવિલ મેડીસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે મહેશભાઇના અંગદાનથી મળેલ હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

પોતાના સ્વજનના અંગદાનનો પરોપકારી નિર્ણય લઇ 638 માનવ જિંદગીના દીપ પ્રજ્વલિત રાખવા બદલ આ તમામ 200 અંગદાતાના પરિવારજનોના આપણે સૌ આભારી છીએ, એમ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું.

સિવિલની અંગદાન ટીમ કાર્યરત

કોઇપણ જીવિત સ્વસ્થ વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા સ્વજનને અંગો ન આપવા પડે અને બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન થકી આવા તમામ ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા દર્દીઓને અંગો મળી રહે અને અંગોની પ્રતિક્ષામાં કોઇપણ વ્યક્તિ મૃત્યુ ન પામે એ ધ્યેય સાથે અમારી સિવિલની અંગદાન ટીમ કાર્યરત છે, એમ ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું.

2020થી લઈને અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલ દ્વારા સતતપણે લોકોને જાગૃત કરવાથી લઈને વધુને વધુ લોકોને અંગદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  બ્રિજ દુર્ઘટના મામલે જામનગર કોંગ્રેસ દ્વારા પાટાપિંડી સાથે ઇજાગ્રસ્ત થયાનો નાટકીય વિરોધ

Plane Crash Report: પ્લેનના બંને એન્જિન બંધ, FAA ની ચેતવણી અવગણમાં આવી… તપાસ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, ટેકઓફ પછી તરત જ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા, જેના કારણે ફ્યુઅલ સપ્લાય ખોરવાયો. કોકપીટ વોઇસ રેકોર્ડર દર્શાવે છે કે પાઇલટ્સે ફ્યુઅલ કટ ઓફ નહતુ કર્યું.

12 જૂનના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડન જતી વખતે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં અકસ્માતનો ભોગ બની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન માત્ર 30 સેકન્ડ માટે હવામાં રહ્યું અને એરપોર્ટ નજીક મેડિકલ કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું. આ અકસ્માતમાં લગભગ 260 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં વિમાનમાં સવાર 241 લોકોનો પણ સમાવેશ થાય છે, અને વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો.

હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે, જેમાં ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. આ અહેવાલમાં ખુલાસો થયો છે કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીનું પરિણામ હોઈ શકે છે.

ફ્યુઅલ સપ્લાય અચાનક બંધ થઈ ગયો

AAIB ના 15 પાનાના અહેવાલ મુજબ, ટેકઓફ પછી વિમાનના બંને એન્જિન થોડીક સેકન્ડમાં બંધ થઈ ગયા. ફ્યુઅલની સપ્લાય અચાનક બંધ થઈ ગઈ, કેમ કે બંને એન્જિનની કટઓફ સ્વીચ એક સેકન્ડના અંતરમાં RUN થી CUTOFF પર જતી રહી.

કોકપીટ વોઇસ રેકોર્ડરમાં, પાઇલટે કો-પાઇલટને પૂછ્યું, “તમે કેમ કાપી નાખ્યું?” બીજાએ જવાબ આપ્યો, “મેં નથી કર્યું.” આ સૂચવે છે કે કદાચ તે પાઇલટ્સની ભૂલ ન હતી, પરંતુ તે કોઈ તકનીકી ખામીને કારણે થયું હતું.

ઉડાનની 30 સેકન્ડ

ટેકઓફ પછી વિમાન માત્ર 30 સેકન્ડ માટે હવામાં હતું.
એન્જિન બંધ થતાં જ હાઇડ્રોલિક પાવર સપ્લાય કરતી ઇમરજન્સી રેમ એર ટર્બાઇન (RAT) સક્રિય થઈ ગઈ.
પાઇલટ્સે એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો – એન્જિન 1 આંશિક રીતે ઠીક થયું, પરંતુ એન્જિન 2 નિષ્ફળ ગયું.
વિમાન રનવેથી 0.9 નોટિકલ માઇલ દૂર એક હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું.

Ram Air Turbine શું છે?

રામ એર ટર્બાઇન એ એક નાનું પ્રોપેલર જેવું ઉપકરણ છે જે બંને એન્જિન બંધ થાય છે અથવા પાવર સપ્લાય બંધ થાય છે અથવા હાઇડ્રોલિક નિષ્ફળતા થાય છે ત્યારે આપમેળે કાર્યરત થાય છે. તે વિમાનને ઊંચાઈ જાળવવામાં મદદ કરે છે. RAT કટોકટી શક્તિ ઉત્પન્ન કરવા માટે પવનની ગતિનો ઉપયોગ કરે છે.

પક્ષી અથડાવાની શક્યતા નકારી કાઢવામાં આવી

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિમાન એરપોર્ટની પરિમિતિ દિવાલ પાર કરે તે પહેલાં જ તેની ઊંચાઈ ઓછી થવા લાગી હતી.
તપાસમાં વિમાનના માર્ગમાં પક્ષી હોવાના કોઈ સંકેત મળ્યા નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે પક્ષી અથડાવાથી અકસ્માત થયો ન હતો.

EAFR ડેટા કાઢવામાં આવી રહ્યો છે

વિમાન દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે અને ઘણા મહત્વપૂર્ણ ટેકનિકલ ભાગો ઓળખી કાઢવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે અલગ રાખવામાં આવ્યા છે. AAIB એ જણાવ્યું હતું કે વિમાનના પાછળના ભાગમાં સ્થાપિત એક્સટેન્ડેડ એરફ્રેમ ફ્લાઇટ રેકોર્ડર (EAFR) ને ભારે નુકસાન થયું છે અને પરંપરાગત પદ્ધતિઓ દ્વારા તેને ઍક્સેસ કરી શકાતું નથી.

જૂની ચેતવણી અવગણવામાં આવી

  • વિમાનના બધા ફ્લૅપ્સ, ગિયર અને વજન-સંતુલન સામાન્ય હતું.
  • ફ્યુઅલ સાફ હતું, કોઈ ભેળસેળ કે ગડબડી મળી ન હતી.
  • બંને પાઇલટ અનુભવી, તબીબી રીતે ફિટ અને ફરજ માટે તૈયાર હતા.
  • હવામાન સામાન્ય હતું, આકાશ સ્વચ્છ હતું અને હળવા પવન ફૂંકાતા હતા.

હવે શું?

  • AAIB કહે છે કે તપાસ હજુ ચાલુ છે…
  • વિમાનના કાટમાળની તપાસ,
  • એન્જિન અને અન્ય ભાગોની ફોરેન્સિક તપાસ,
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં, કોઈના પર સીધો દોષ મૂકવામાં આવ્યો નથી, કે કોઈ પાઇલટ કે કંપની સામે કોઈ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી નથી. એર ઇન્ડિયા અને બોઇંગ બંનેએ કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.

આ પણ વાંચો: Kapil Sharma ના કાફે પર ગોળીબાર કરનાર મોસ્ટ વોન્ટેડ હરજીત સિંહ પર લાખોનું ઇનામ, જાણો ક્રાઇમ કુંડળી

Ahmedabad વિમાન દુર્ઘટનાની તપાસ બની તેજ, AAIBએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ

12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 270 લોકો માર્યા ગયા હતા. અકસ્માતની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ને સોંપવામાં આવી છે. હવે AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રારંભિક તપાસ અહેવાલ સુપરત કર્યો છે.

AAIBએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો

અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ તેજ થઈ ગઈ છે. અકસ્માતની તપાસ કરી રહેલી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે AI 171 વિમાન દુર્ઘટના અંગે તૈયાર કરાયેલ અહેવાલ તપાસના પ્રારંભિક તારણો પર આધારિત છે.

AAIB અકસ્માતની તપાસ કરી રહ્યું છે

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને સોંપવામાં આવી છે. AAIB એ તપાસ માટે એક બહુ-શાખાકીય ટીમની રચના કરી છે. આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ રચાયેલી ટીમનું નેતૃત્વ DG AAIB કરી રહ્યા છે. આ કિસ્સામાં, બ્લેક બોક્સ અને હેન્ડલિંગ કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) બંને મળી આવ્યા છે. 13 જૂન, 2025 ના રોજ અકસ્માત સ્થળ પર ઇમારતની છત પરથી CVR મળી આવ્યો હતો. તે જ સમયે, 16 જૂન, 2025 ના રોજ કાટમાળમાંથી FDR મળી આવ્યો હતો. તેમના સુરક્ષિત સંચાલન, સંગ્રહ અને પરિવહન માટે માનક સંચાલન પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી હતી. હવે AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને તેનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે.

12 જૂનના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, જે કુલ 242 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને લંડન જઈ રહી હતી, તે અમદાવાદની મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ સિવાય પ્લેનમાં સવાર એક સિવાય તમામ યાત્રીઓ માર્યા ગયા હતા અને પ્લેન જ્યાં ક્રેશ થયુ ત્યાં જમીન પર હાજર લગભગ 29 લોકો માર્યા ગયા હતા.

વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત થયાના એક અઠવાડિયા પછી, DNA મેચિંગ દ્વારા 215 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. 198 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સોંપવામાં આવેલા 198 મૃતદેહોમાં 149 ભારતીય, 32 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. 198 મૃતદેહોમાં જમીન પર મૃત્યુ પામેલા સાત લોકોના મૃતદેહોનો પણ સમાવેશ થાય છે.

Ahmedabad ના ચાંદખેડામાં બ્લેકમેલિંગનો ભોગ બની 21 વર્ષીય યુવતી

Ahmedabad ના શહેરકોટડામાં અપહરણ અને હત્યાની ચોંકાવનારી ઘટના

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમંગ દાંતાણી નામના યુવકનું અપહરણ અને હત્યાનો એક ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. ફરિયાદી સંગીતાબેન, ઉમંગની પત્ની,ના જણાવ્યા મુજબ, રાત્રે તેમનું બાળક રડતું હોવાથી ઉમંગ નાસ્તો લેવા ઘરની બહાર નીકળ્યા હતા. તેઓ સરસપુરની શારદાબેન હોસ્પિટલ પાસે ચા અને બિસ્કીટ લેવા ગયા અને ઘર નજીક આવેલા રાધે પાનની દુકાને દૂધ લેવા ગયા હતા.

આ દરમિયાન, ઉમંગની પાંચથી સાત લોકોના ટોળા સાથે બોલાચાલી થઈ. આ બોલાચાલી બાદ આરોપીઓએ ઉમંગનું અપહરણ કર્યું અને તેમને બોરડીવટનગરના છાપરા નજીકના મેદાનમાં લઈ ગયા. ત્યાં લોખંડના પાઈપ અને લાકડીઓ વડે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો, જેના કારણે ઉમંગનું મોત નીપજ્યું. આરોપીઓએ ત્યારબાદ ઉમંગનો મૃતદેહ વોરાના રોજા નજીક જાહેર રોડ પર તરછોડી ફરાર થઈ ગયા.

આ ઘટના અંગે સંગીતાબેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી અને ક્રાઈમ બ્રાન્ચે નરોડા, નિકોલ અને ચિત્રકૂટ જોગણી માતાના મંદિર પાસેના વિસ્તારમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી. તપાસ દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે સુમિત ઉર્ફે બિલાડી પટણી, ઉમેશ ઉર્ફે અભણ પટણી અને એક સગીરની અટકાયત કરી. જ્યારે રોહન ઉર્ફે ભૂરો પટણી, આકાશ ઉર્ફે ભૂલો પટણી અને પૂનમ ઉર્ફે બલ્લો પટણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુમિત અને ઉમંગના ભાઈ વચ્ચે જૂની અદાવત હતી, જે આ હુમલાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તારણ છે. સુમિત વિરુદ્ધ નિકોલ, મહેસાણા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ (IPC 302, 307) અને મારામારીના ગુના નોંધાયેલા છે. ઉમેશ વિરુદ્ધ પણ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણ ગુના નોંધાયેલા છે. આ કેસની ઝીણવટભરી તપાસ ચાલુ છે, અને પોલીસ બાકીના આરોપીઓને પકડવા માટે સક્રિય છે.

Ahmedabad ના ચાંદખેડામાં બ્લેકમેલિંગનો ભોગ બની 21 વર્ષીય યુવતી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવતીએ 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાનું મૂળ કારણ તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને તેના સાથી હાર્દિક રબારી દ્વારા કરવામાં આવેલું બ્લેકમેલિંગ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમાજમાં ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેમાં સાયબર ગુનાઓ, ગોપનીયતાનું હનન અને માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

શું છે મામલો

મળતી માહિતી અનુસાર, મૃતક યુવતી લાંબા સમયથી મોહિત મકવાણા સાથે પ્રેમસંબંધમાં હતી. આ સંબંધ દરમિયાન, મોહિતે યુવતીની સંમતિ વિના તેના અંગત પળોનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો બાદમાં હાર્દિક રબારીના ફોનમાં પણ પહોંચ્યો, જેણે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. 2 જુલાઈની સાંજે યુવતીએ તેની મિત્ર કાજલબહેનને આ વીડિયો વિશે જાણ કરી અને જણાવ્યું કે તેણે હાર્દિકના ફોનમાં પોતાનો વાંધાજનક વીડિયો જોયો છે.

બંને પક્ષો વચ્ચે સમાધાન

આ ઘટના બાદ યુવતી, તેની મિત્ર કાજલબહેન અને કાજલના પતિ સાથે વૈષ્ણોદેવી સર્કલ ખાતે હાર્દિકને મળવા ગઈ. ત્યાં હાર્દિકે યુવતીનો વાંધાજનક વીડિયો ત્રણેયને બતાવ્યો. બાદમાં, તેઓ મોહિતને મળ્યા અને વીડિયો ડિલીટ કરવાની માંગ કરી. મોહિતે શરૂઆતમાં ઇનકાર કર્યો, પરંતુ યુવતીએ સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસની હાજરીમાં મોહિતના ફોનમાંથી વીડિયો ડિલીટ કરવામાં આવ્યો, અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું.

યુવતીને બ્લેકમેલિંગનો ડર રહેતો

જોકે, આ ઘટના બાદ પણ યુવતીને બ્લેકમેલિંગનો ડર રહેતો હતો. આરોપ છે કે મોહિત અને હાર્દિકે યુવતીને સતત હેરાન કરવાનું ચાલુ રાખ્યું. યુવતીએ મોહિતને 6,000 રૂપિયા આપ્યા હતા અને તેની સોનાની ચેઇન પણ ગીરવે મૂકી હતી, પરંતુ આ બધું છતાં બ્લેકમેલિંગ બંધ ન થયું.

3 જુલાઈએ યુવતીએ તેની મિત્રને જણાવ્યું કે તે તેના મિત્ર જયરાજ સિંહ સાથે બહાર ફરવા જઈ રહી છે અને પાછી નહીં ફરે. બીજા દિવસે વહેલી સવારે, યુવતીએ જયરાજના ઘરે 14મા માળેથી છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે.

પોલીસ તપાસ અને કાનૂની કાર્યવાહી

આ ઘટના બાદ મૃતક યુવતીના મિત્રએ મોહિત મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધાવ્યો છે. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ મામલે બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે, અને વીડિયોના વાયરલ થવાની શક્યતા અને અન્ય સંબંધિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના ડિજિટલ યુગમાં ગોપનીયતાના હનન અને સાયબર બ્લેકમેલિંગના ગંભીર પરિણામોને ઉજાગર કરે છે. યુવતીની આત્મહત્યા માત્ર એક વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ સમાજમાં વધતા જતા સાયબર ગુનાઓ અને માનસિક તણાવનું એક ઉદાહરણ છે. આવા કિસ્સાઓ એ વાતની યાદ અપાવે છે કે વ્યક્તિગત અને અંગત માહિતીનો દુરુપયોગ કેટલો ખતરનાક હોઈ શકે છે.

આ દુ:ખદ ઘટના સમાજને એક મહત્વપૂર્ણ પાઠ આપે છે કે સંબંધોમાં વિશ્વાસ અને સંમતિનું મહત્વ સમજવું જરૂરી છે. સાથે જ, સાયબર ગુનાઓ સામે કડક કાનૂની કાર્યવાહી અને જનજાગૃતિની જરૂર છે. ચાંદખેડા પોલીસની તપાસથી આશા છે કે યુવતીને ન્યાય મળશે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.

નડિયાદના સાયબર આતંકવાદ કેસની તપાસ NIAને સોંપાઈ: ગુજરાત ATSની કાર્યવાહી બાદ મોટો ખુલાસો

નડિયાદ, ગુજરાત: નડિયાદમાં ચકચાર જગાવનાર સાયબર આતંકવાદના કેસની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. આ કેસમાં ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા શરૂઆતી તપાસ બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 18 વર્ષીય જસીમ શાહનવાઝ અંસારી અને એક સગીરનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સરકારની વિવિધ વેબસાઇટ્સ પર ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS) હુમલા કરી દેશવિરોધી પ્રવૃત્તિઓ આચરી હોવાનો આરોપ છે.

કેસની શરૂઆત અને ATSની કાર્યવાહી

ગુજરાત ATSએ 20 મે, 2025ના રોજ નડિયાદના મીલ રોડ, કલ્યાણ કુંજ સામે રહેતા જસીમ શાહનવાઝ અંસારી અને એક સગીરની ધરપકડ કરી હતી. ATSની સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ ‘એનોનસેક’ નામનું ટેલિગ્રામ ગ્રૂપ બનાવી, ભારત સરકારની વેબસાઇટ્સ પર DDoS હુમલા કર્યા હતા અને તેના સ્ક્રીનશોટ સાથે દેશવિરોધી ઉશ્કેરણીજનક સંદેશાઓ પોસ્ટ કર્યા હતા. આ હુમલાઓ ખાસ કરીને એપ્રિલ અને મે 2025 દરમિયાન થયા હતા, જેમાં સંરક્ષણ, નાણાં, ઉડ્ડયન અને રાજ્ય સરકારોની 50થી વધુ વેબસાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી.[]
આરોપીઓએ આ હુમલાઓ માટે યુટ્યૂબ ટ્યૂટોરિયલ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સની મદદથી હેકિંગની તકનીકો શીખી હતી. તેઓએ પાયથોન, પાયડ્રોઇડ અને ટર્મક્સ જેવા ટૂલ્સનો ઉપયોગ કરી, GitHub પરથી ક્લોન કરેલા DDoS ટૂલ્સ દ્વારા હુમલા આચર્યા હતા. ATSએ આરોપીઓના મોબાઇલ ફોન ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર FSL ખાતે મોકલ્યા, જેમાંથી મળેલા પુરાવાઓએ આરોપોની પુષ્ટિ કરી.

NIA registers 'all-time high' 73 terror cases in 2022 - Rediff.com

NIAને તપાસ સોંપવાનો નૈતિક આધાર

આ કેسની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગૃહ વિભાગના આદેશ અનુસાર, તપાસને ગુજરાત ATS પાસેથી NIAને સોંપવામાં આવી છે. જિલ્લા સરકારી વકીલ ધવલભાઈ બારોટે જણાવ્યું કે, આરોપીઓની પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે, જેના કારણે NIA દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.

આરોપીઓ વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 43 અને 66(F) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં સાયબર આતંકવાદનો સમાવેશ થાય છે અને જેની સજા આજીવન કેદ સુધીની હોઈ શકે છે. ATSની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીઓએ ઓપરેશન સિંદૂર, જે પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતની સૈન્ય કાર્યવાહી હતી, દરમિયાન હુમલાઓને વધુ તીવ્ર કર્યા હતા.[]

આરોપીઓની પૃષ્ઠભૂમિ અને હેકિંગ કૌશલ્ય

જસીમ શાહનવાઝ અંસારી અને સગીર આરોપી બંને ધોરણ 12માં નાપાસ થયા હોવા છતાં, છેલ્લા 6-8 મહિનામાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા હેકિંગની કુશળતા હસ્તગત કરી હતી. તેઓએ ટેલિગ્રામ ગ્રૂપ ‘એનોનસેક’ દ્વારા દેશવિરોધી પ્રચાર કર્યો અને સરકારી વેબસાઇટ્સને નિશાન બનાવવાની યોજના ઘડી હતી. આ હુમલાઓમાં આધાર કાર્ડ પોર્ટલ સહિતની મહત્વની વેબસાઇટ્સ પણ નિશાના પર હતી.

ATSની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓએ 7 મે, 2025ના રોજ એક જ દિવસમાં 20થી વધુ વેબસાઇટ્સ પર હુમલો કર્યો હતો અને ટેલિગ્રામ ગ્રૂપમાં “India may have started it, but we will be the ones to finish it” જેવા ઉશ્કેરણીજનક સંદેશાઓ પોસ્ટ કર્યા હતા.[]

NIAની ભૂમિકા અને આગળની તપાસ

NIA, ભારતની કેન્દ્રીય આતંકવાદ વિરોધી એજન્સી તરીकે, આ કેસમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરશે. તપાસનું ધ્યાન આરોપીઓના વિદેશી સંપર્કો, નાણાકીય સહાય અને સાયબર હુમલાઓની પાછળના ષડયંત્રને ઉજાગર કરવા પર કેન્દ્રિત રહેશે. ATSએ આરોપીઓના બેંક ખાતાઓની તપાસ શરૂ કરી છે, જેથી તેમને કોઈ વિદેશી સંસ્થાઓ તરફથી નાણાકીય સહાય મળી હોય કે કેમ તેની ખાતરી કરી શકાય.

NIAની સંડોવણી આ કેસની ગંભીરતા અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની સંભવિત અસરને દર્શાવે છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે યુવાનોમાં ઓનલાઇન રેડિકલાઇઝેશન અને સાયબર આતંकવાદનું જોખમ વધી રહ્યું છે, જેનો સામનો કરવા માટે અદ્યતન તકનીકી અને કાનૂની પગલાંની જરૂર છે.

ગુજરાતમાં સાયબર ક્રાઇમનો વધતો ખતરો

ગુજરાતમાં સાયબર ક્રાઇમના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 2023માં રાજ્યમાં લગભગ 1.21 લાખ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી, જે દરરોજ આશરે 333 ફરિયાદોનો આંકડો દર્શાવે છે. આ ગુનાઓથી રૂ. 650.53 કરોડનું નાણાકીય નુકસાન થયું હતું. જોકે, આ ફરિયાદોમાંથી માત્ર 0.8% ફરિયાદો જ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR)માં ફેરવાઈ, જે સાયબર ક્રાઇમની તપાસમાં પડકારો દર્શાવે છે.

ગુજરાત સરકારે આવા ગુનાઓનો સામનો કરવા માટે iPRAGATI પોર્ટલ જેવા ડિજિટલ ટૂલ્સ શરૂ કર્યા છે, જે તપાસને વધુ પારદર્શી અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરે છે.

સુરતમાં ઝડપાયા લૂંટ અને હત્યાના ચાર આરોપીઓ: પશ્ચિમ બંગાળના ગુનાને અંજામ આપી ગુજરાતમાં છુપાયા હતા

અમદાવાદના ઓઢવમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ 6 વર્ષની પુત્રીની ગળું દબાવી હત્યા કરી

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં એક ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાની 6 વર્ષની માસૂમ દીકરીની ગળું દબાવીને હત્યા કરી નાખી. આ ઘટનાએ ગુજરાતી કહેવત “માં તે માં, બીજા બધા વગડાના વા”ને કલંકિત કરી દીધી છે. આ ઘટનાની ફરિયાદ બાળકીના સાવકા પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, જેમાં પારિવારિક ઝઘડાને હિંસક સ્વરૂપ લેવાનું કારણ હોવાનું જણાવાયું છે.

શું છે મામલો

ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે નોંધાયેલી FIR અનુસાર, આ દુ:ખદ ઘટના 2 જુલાઈ, 2025ના બપોરે બની હતી. ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની આરુષી બપોરે લગભગ 12 વાગ્યે શાળાએથી ઘરે પરત ફરી હતી. બપોરે આશરે 3:30 વાગ્યે, તેની માતા ઉષા લોઢીએ આરુષીને ઘરકામમાં મદદ કરવા જણાવ્યું. જોકે, આરુષીએ કામ કરવાની ના પાડી, જેના કારણે ઉષા ગુસ્સે થઈ ગઈ. FIR અનુસાર, ગુસ્સાના આવેશમાં ઉષાએ આરુષીને અનેક થપ્પડો મારી અને ત્યારબાદ તેનું ગળું દબાવી દીધું, જેના પરિણામે બાળકીનું મોત નીપજ્યું.

પોલીસની કાર્યવાહી

આ ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. બાળકીના સાવકા પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ઉષા લોઢી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરુષીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદને આ ઘટનાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.

સમાજ પર અસર

આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે આઘાત અને ગુસ્સો ફેલાવ્યો છે. એક માતા દ્વારા પોતાની નાની બાળકીની હત્યા જેવી ઘટના સમાજના મૂળમાં આવેલી માતૃત્વની ભાવનાને હચમચાવી દે તેવી છે. સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓએ આ ઘટનાની નિંદા કરી છે અને બાળકોની સુરક્ષા તેમજ પરિવારોમાં માનસિક સ્વાસ્થ્ય અને વિવાદ નિવારણ માટેના પગલાંની માંગ કરી છે.

આ ઘટના એક દુ:ખદ યાદી છે કે પારિવારિક હિંસા અને ગુસ્સાનું અનિયંત્રિત સ્વરૂપ કેટલું વિનાશક બની શકે છે. આરુષીની હત્યાએ ન માત્ર એક પરિવારને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ સમગ્ર સમાજને વિચારવા મજબૂર કર્યો છે કે આવી ઘટનાઓને રોકવા માટે શું પગલાં લેવા જોઈએ. પોલીસ તપાસના અંતે સત્ય સામે આવશે, પરંતુ આ ઘટના દરેક માતા-પિતાને પોતાના ગુસ્સા અને વર્તન પર નિયંત્રણ રાખવાનું શીખવે છે.