પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાપાન અને ચીન પ્રવાસ વૈશ્વિક કૂટનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થવાનો છે. 29 ઓગસ્ટથી શરૂ થયેલો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ટ્રમ્પની ટેરિફ દાદાગીરીએ ભારતીય કૂટનીતિ અને વિદેશ નીતિને કઠિન પરીક્ષામાં મૂકી દીધી છે. આવા નાજુક સમયમાં ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર એવા સહયોગીની જરૂર છે જે અમેરિકા સાથે ભારતના મુદ્દાને એક વિકસતા દેશની નજરે જોઈ શકે.
જાપાન અને ચીન એવા સમયે ભારતની ચિંતાઓને સમજતા મદદગાર સાબિત થઈ શકે છે. આ બન્ને દેશો પોતે પણ ટ્રમ્પની મનમાની ટેરિફ ડિપ્લોમસીના શિકાર છે. તેથી ભારતને આ બન્ને દેશોથી આશા છે કે તે ભારતનો કેસ સમજશે. આ પૃષ્ઠભૂમિમાં પીએમ મોદીનો જાપાન અને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન માટે ચીન પ્રવાસ માત્ર ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તાને રેખાંકિત નથી કરતો, પરંતુ ટ્રમ્પની નીતિઓનો એક નાજૂક જવાબ પણ આપે છે.
જાપાન: આર્થિક ભાગીદારીનો નવો અધ્યાય
પીએમ મોદીનાં પ્રવાસનું પહેલું સ્થાન જાપાન છે. તેઓ આજે જ જાપાન પહોંચ્યા છે. પીએમ મોદી 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઈશિબા સાથે મુલાકાત કરી રહ્યા છે. આ તેમનો જાપાનનો આઠમો પ્રવાસ છે અને ઈશિબા સાથેનું પહેલું શિખર સંમેલન છે.
બન્ને દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ભાર છે. જાપાન ભારતનો પાંચમો સૌથી મોટો વિદેશી મૂડીરોકાણ (FDI) સ્ત્રોત છે, જેણે ડિસેમ્બર 2024 સુધીમાં 43.2 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જાપાનીઝ કંપનીઓ, જેમ કે સુઝુકી મોટર, આવતા દાયકામાં ભારતમાં 10 ટ્રિલિયન યેન (68 બિલિયન ડોલર)નું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.
જાપાન ભારતની આર્થિક પ્રગતિનો વિશ્વસનીય ભાગીદાર છે. ભારતને મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેનની ટેકનોલોજી આપનાર જાપાન અમેરિકાની જેમ કદાચ ક્યારેય ભારત સામે બુલિંગની નીતિ અપનાવી નથી. સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોની ઊંડાઈથી જોડાયેલા જાપાનએ ભારતની જરૂરિયાતોને સમજ્યું છે અને મદદ કરી છે.
ટ્રમ્પના ટેરિફ પછી, ભારત જાપાન સાથે સેમિકન્ડક્ટર, AI જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારી રહ્યું છે જેથી અમેરિકન બજાર પર નિર્ભરતા ઓછી કરી શકાય. આ પગલું ટ્રમ્પ માટે સંદેશ છે કે ભારત વિકલ્પિક આર્થિક ભાગીદાર શોધી શકે છે. જાપાનીઝ કંપનીઓ ભારતમાં રોકાણ માટે ઉત્સુક છે, જેથી ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરાવવાનું સ્વપ્ન વધુ મજબૂત થાય છે. આ પીએમ મોદીના “મેક ઇન ઇન્ડિયા” સ્વપ્ન સાથે સુસંગત પણ છે.
પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જાપાન ભારતના રાષ્ટ્રીય હિતો અને પ્રાથમિકતાઓને આગળ વધારશે. શુક્રવારે ટોક્યોમાં એક બિઝનેસ ફોરમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જાપાનની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા સાથે મળીને આ સદીની ટેક્નોલોજીકલ ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે. મોદીએ એ પણ કહ્યું કે ભારત ગ્લોબલ સાઉથમાં જાપાનીઝ વેપાર માટે એક “સ્પ્રિંગબોર્ડ” છે.
તેમણે કહ્યું કે ભારત અને જાપાન રોબોટિક્સ, સેમિકન્ડક્ટર, શિપ બિલ્ડિંગ અને પરમાણુ ઊર્જાના ક્ષેત્રોમાં સફળ ઓટો સેક્ટર ભાગીદારીને પુનરાવર્તિત કરી શકે છે. પ્રધાનમંત્રી મોદીએ માન્યું કે ભારતની વિકાસયાત્રામાં જાપાન હંમેશા એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. તેમણે કહ્યું કે મેટ્રોથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી, સેમિકન્ડક્ટરથી લઈને સ્ટાર્ટઅપ સુધી, દરેક ક્ષેત્રમાં ભારત-જાપાન ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતિક બની ગઈ છે. તેમણે કહ્યું કે ભારત અને જાપાન ગ્લોબલ સાઉથ, ખાસ કરીને આફ્રિકાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
ક્વાડમાં અમેરિકાને સંદેશ
પીએમ મોદીની જાપાન યાત્રાનો ઉદ્દેશ QUAD (ભારત, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા)માં પણ અમેરિકાની શક્તિને બેલેન્સ કરવાનું છે. ક્વાડમાં અમેરિકાના સિવાય ભારત અને જાપાન પણ સભ્ય છે. જાપાનને વિશ્વાસમાં લઈને ભારત આ મંચ પર પણ અમેરિકાને સંદેશ આપવા માગશે. તેના માટે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે મુલાકાત અગત્યની છે.
ગૌરતલબ છે કે અમેરિકાએ જાપાન પર પણ ટેરિફ લગાવ્યો છે. આ રીતે જાપાનને પણ ટ્રમ્પની અયોગ્ય વેપાર નીતિઓનો અનુભવ છે. નિશ્ચિત રીતે જાપાન ટેરિફના મામલે ભારતના કેસને પણ ગંભીરતાથી જોશે. જાપાન અમેરિકા સાથે પોતાના ટેરિફના મુદ્દાને ઉકેલવા માંગે છે પરંતુ અમેરિકાની જીદભરી નીતિઓના કારણે તેમાં સફળતા મળતી નથી. જાપાનનું એક પ્રતિનિધિમંડળ અમેરિકી ટેરિફ અંગે વાત કરવા માટે વોશિંગ્ટન જવાનું હતું. પરંતુ જાપાનની તરફથી તેને છેલ્લી ક્ષણે ટાળી દેવામાં આવ્યું. તેનું કારણ એ હતું કે અમેરિકા તેમાં કોઈ પ્રકારની રિયાયત આપવા ના મૂડમાં નહોતું.