શિક્ષણ જગત માટે ચિંતાનો વિષયઃ વધુ એક વિદ્યાર્થી શાળામાં કરી બેઠો ગજબનું કૃત્ય!

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શહેરમાં રોષનો માહોલ છે. સુરક્ષા પગલાં રૂપે શાળાએ ઓફલાઈન શિક્ષણ બંધ રાખી ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી નવી સૂચના ન આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. ઘટનાના 5 દિવસ બાદ આ નિર્ણય લેવાયો છે. શાળાના સ્ટાફ અને શિક્ષકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ભાવનગરમાં છરી બતાવવાનો બનાવ
આ ઘટનાની અસર હજી શમાઈ નથી ત્યાં ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ચોંકાવનારી ઘટના બની. ધોરણ 9ના વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીને છરી બતાવી હતી. આ બનાવ બાદ પીડિત વિદ્યાર્થીના પિતા સીધા ઘોઘારોડ પોલીસ મથકે પહોંચ્યા હતા. બાદમાં સ્કૂલના પ્રિન્સિપાલે પણ છરી બતાવનાર વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં શાળાના શિક્ષકો અને આચાર્ય પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા.

શાળામાં સુરક્ષા અંગે વાલીઓમાં ચિંતા
સેવન્થ ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની હત્યા બાદથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનો માહોલ છે. વાલીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે બાળકો શાળામાં પણ અસુરક્ષિત છે. તેઓએ જણાવ્યું કે સમાજના તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓએ એક થવું જરૂરી છે અને નયનને ન્યાય અપાવવો એ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. નિષ્ણાતો માનતા છે કે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ તાત્કાલિક કરવું જરૂરી છે જેથી ભય દૂર થઈ શકે.

Share This Article
Translate »