England પ્રવાસેથી પરત ફરતા જ ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદનઃ ગીલ વિશે કહી આ વાત!

ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સીરીઝ પછી હવે ઈંગ્લેન્ડથી ભારત પરત ફરી છે. સીરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું હતું, જેના કારણે સીરીઝ  2-2 થી ડ્રો રહી હતી. શુભમન ગિલના કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન આ સીરીઝમાં શાનદાર રહ્યું હતું. સીરીઝ પહેલા જ્યારે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, ત્યારે કોચ ગૌતમ ગંભીર અને પસંદગીકારો પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ હવે દરેકને યોગ્ય જવાબ મળી ગયો છે. ભારત પરત ફરતા કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન શુભમન ગિલ વિશે એક મોટી વાત કહી.

ગૌતમ ગંભીરે આપ્યું નિવેદન!

એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું, શુભમન ગિલે શાનદાર કામ કર્યું છે અને મને આશા છે કે તે ભવિષ્યમાં પણ ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરતો રહેશે. અમે ખૂબ ખુશ છીએ, છેલ્લા 2 મહિનામાં આ 5 મેચની ટેસ્ટ સીરીઝમાં અમારા ખેલાડીઓએ જે રીતે શાનદાર પ્રદર્શન કર્યું છે, તે પ્રશંસાને પાત્ર છે. સિરાજનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે પરંતુ ફક્ત એક જ ખેલાડીનું નામ લેવું યોગ્ય નથી, બધા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

શુભમન ગિલનું શ્રેષ્ઠ પ્રદર્શન!

ઈંગ્લેન્ડ સાથે રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરીઝમાં શુભમન ગિલનું પ્રદર્શન અદ્ભુત રહ્યું. તેણે સીરીઝમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. ગિલે આ સીરીઝ માં બેટિંગ કરતી વખતે સૌથી વધુ 754 રન બનાવ્યા. આ દરમિયાન ગિલે 4 સદી અને 1 બેવડી સદી ફટકારી. ગિલ આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો, તેના શાનદાર પ્રદર્શનને કારણે કેપ્ટન ગિલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો.

Share This Article
Translate »